ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાના વાડ ગામમાં આવેલ કાવલા ખડક ખાતે ગામના રહેવાસી અને હાલ નવસારીમાં સ્થાયી થયેલા જમાલપુરના માજી ઉપસરપંચ કેતનભાઈ ગાયકવાડ અને એમના પરિવારજનો દ્વારા ગામના લોકો સાથે મળીને ખુબ મોટી સંખ્યામાં ભેગા થઇ આદિવાસીઓના દેવ બરામદેવ અને ગાંડા કાછ્યા બાપાની પૂજાઅર્ચના કરવામાં આવી.

જુઓ વિડિઓ..

પ્રસંગ વિશે Decision Newsને જાણકારી આપતા કેતનભાઈએ જણાવેલ કે અમે વર્ષોથી દર વર્ષે અહીંયા આવીને બરામદેવની પૂજા કરતા આવેલ. પરંતુ આ વખતે ગામના લોકો સાથે મળીને ખુબ મોટી સંખ્યામાં આયોજન કર્યુ જેનો મુખ્ય હેતુ આદિવાસીઓની વિસરાતી જતી સંસ્કૃતિ અને દેવી દેવતાઓ વિશે જનજાગૃતિ લાવવાનો હતો અને અમને વિશ્વાસ છે કે તેમાં અમે કામીયાબ બન્યા છે.

આ પ્રસંગે સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ,ડો.કૃણાલ, ડો.પંકજ મિન્ટેશભાઈ, ઉમેશભાઈ, કીર્તિભાઇ, દલપતભાઈ, કાર્તિક, કુણાલ, મયુર, નિખિલ, ધર્મેશભાઈ, રાહુલભાઈ, રાકેશભાઈ, વિનોદભાઈ, ભાવેશ, ભાવિન, જીતેન્દ્ર, રિન્કેશ, ઉમેશ મોગરાવાડી અને આદિવાસી જનજાગૃતિ સમિતિ, નવસારીના સભ્યો સહિત 400-500 જેટલી મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.