અમરેલી: આંખોના અંધકારથી કેવી રીતે જિંદગી જીવશે આ આંખોની રોશની ખોયેલા આ દર્દીઓ.. આ ઘટના અમરેલી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક મહિના દરમિયાન 100 જેટલા દર્દીના મોતિયાના ઓપરેશન કરાયા બાદ 25 દર્દીને આંખમાં સોજા અને ઇન્ફેક્શનના કારણે દર્દીઓએ આંખની રોશની ગુમાવતા હોસ્પિટલની બેદરકારી સામે આવી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ આ ઘટના અમરેલીમા શાંતાબા ગજેરા સિવિલ હોસ્પિટલ ખાતે બની હતી જેમાં અઠવાડિયામાં ચારથી પાંચ મોતિયાના ઓપરેશન કરાઈ છે. છેલ્લા એક મહિનામાં 100 જેટલા ઓપરેશન કરાયા હતા. તેમાં 25 જેટલા દર્દીઓને ઓપરેશન બાદ આંખમાં સોજા આવી ગયાની ફરિયાદ ઉઠી છે.

હાલમાં ઓપરેશન થિયેટરમાં અનક્વોલિફાઇડ સ્ટાફ મદદમાં રહેતો હોવાનું કહેવાય છે. 25 લોકો આંખની રોશની ગુમાવે તેવી ગંભીર ઘટનામાં સિવિલ સત્તાવાળાઓએ જવાબદારી નક્કી કરવાને બદલે દર્દી પર ઠીકરું ફોડી રહ્યા છે. ઘટનાની જાણ થતા ST પીઆઇ સ્ટાફ સાથે અહીં તપાસ માટે દોડી આવ્યા હતા.