નવસારી: આપણા દેશની સ્વતંત્રતાની લડતમાં દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં આવેલા દાંડી ગામની ગાંધીજી દાંડીકૂચનું એક આઝાદી મેળવવાના પ્રથમ સોંપાન તરીકે જોવામાં આવે છે ત્યારે દાંડીકુચ યાત્રાના નમક સત્યાગ્રહના એક માત્ર સાક્ષી એવા સ્વતંત્ર સેનાની નરસિંહભાઈ પટેલનું નિધન થયું છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ તેઓ નરસિંહભાઈ પોતાના દીકરા સાથે ન્યુઝીલેન્ડ ખાતે રહી પોતાના છેલ્લા દિવસો ગાળતા હતા અને 102 વર્ષની વયે ન્યુઝીલેન્ડ ખાતે નાદુરસ્ત તબિયતને કારણે તેમનું નિધન થયાનું કહેવામાં આવી રહ્યું છે નરસિંહભાઈ દાંડી કૂચ યાત્રાના એકમાત્ર છેલ્લા સાક્ષી હતા.

ઉલ્લેખનીય છે કે દાંડીનું નમક સત્યાગ્રહથી અંગ્રેજી હકુમતના પાયાને લૂણો લાગ્યો હતો અને ધીમે ધીમે અંગ્રજી સત્તાના મુળિયા ઉખાડવા લાગ્યા હતા. સોલ્ટ મેમોરિયલ સ્મારકના લોકાર્પણ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નરસિંહભાઈ પટેલ સન્માન પણ કરવામાં આવ્યું હતું આજે નરસિંહભાઈના નિધનથી ગાંધીવાદીઓમાં શોકની લાગણી પ્રસરી છે.