ઉમરપાડા: રાષ્ટ્રીય સ્તરે જળ બચાવો જાગૃતિ અભિયાન તજજ્ઞોની ટીમ સાથે ગુગલ મીટ માધ્યમથી વિષય પર ચર્ચા કરવામાં આવી તેના મુખ્ય મુદ્દા આપણો પર્યાવરણ સાથેનો નાતો અતૂટ રહ્યો છે, સાથે આપણે નદીના ઝરણાં જોડે રમ્યા છીએ. પણ‌ હાલની સ્થિતિએ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ નહીવત થઇ રહી નહીં જંગલો ધીરે-ધીરે નાશ થ‌ઇ રહ્યો છે સાથે ભૂગર્ભ જળ ઉંડા ઉતરતા જઇ રહ્યા છે તો હાલ આપણા ગામડાં પણ પાણી તંગીઓ ઉનાળા અનુભવી રહ્યા છે, તો હાલ આપણે એક યુવા તરીકે પરિસ્થિતિ મંથન કરવામાં આવ્યું.

Decision Newsને મળેલી માહિતી મુજબ સુરત, તાપી, વલસાડ, નવસારી, ભરૂચ અને નર્મદા જિલ્લાના યુવા લિડરો જોડાયા હતા, ત્યારબાદ ફિલ્ડ વિઝિટ માટે ગુજરાતના સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના અંતરીયાળ ગુલીઉમર ગામની મુલાકાત અને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. જેમા નદી, જંગલ, જમીન જેવી પરંપરાગત વિરાસતો જન જગૃતિનો સંદેશ પ્રસરાવ્યો હતો. ફિલ્ડ વિઝિટમાં ચેકડેમ, તળાવો સહિત, કુવાઓ જેવા પાણીના સ્ત્રોતોની સ્થળ પર મુલાકાત કરી હતી. ત્યાર બાદ આદિવાસી સમાજની જીવનશૈલી પરથી ગ્લોબલ વોર્મિગની અસરો અને વિરાસતોની જાળવણી અંગેનો સંદેશ આપ્યો હતો. દેશના વોટરમેન તરીકે જાણીતાણીતા રાજેન્દ્રસિંહ સાથે ડો.સ્નેહલ ડોંડે રાષ્ટ્રીય સ્તરના જળ બચાવો કોર કમિટીના સભ્ય છે, તેમની સાથે અન્ય અગ્રણીઓ અશોક ચૌધરી, ગીરીશ પાટીલ ઉપસ્થિત રહ્યા હતાં.

ઇન્ડીન પેનીન સોલ્ડ રીવર બેઝિન કાઉન્સિલના ઉદ્દેશથી દેશના વિવિધ રાજયો બાદ ગુજરાતના સુરત જિલ્લાના અંતરીયાળ વિસ્તારમાં ઉમરપાડા તાલુકાના ઉકાઇ વિસ્થાપિત ગામોની સાથે અન્ય ગામોની પણ મુલાકાત લીધી હતી, જેમા હાલની સ્થિતિમાં ભુગર્ભ જળ ઉંડા ને ઉંડા થતાં જાય છે,તેવા સમયમાં પાણીને બચાવું એટલું જ મહત્વનું છે. સાથે નદીનું જે પાણી વહી જાય છે, તેને નાના ચેકડેમ ઉભા કરીને તેને રોકી શકાય સાથે ભુગર્ભ પાણી ઉતારવામાં આવે.

નદી, જમીન, જંગલ જેવી પરંપરાગત વિસ્તારોને બચાવી જલવાયુ પરિવર્તન રોકવા અને ગ્લોબલ વોર્મિગની અસરો નાથવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. ઉકાઇ વિસ્થાપિત નવી વસાહત વિસ્તાર લોકો સાથે વિચારોનું મંથન કરવામાં આવ્યુ હતુ. એક્શન યુવા ગૃપના વિજય વસાવા, સહદેવ વસાવા સહિત ગૃપ લિડરો, પ્રાથમિક શાળાના આચાર્ય મેહુલભાઇ ઠંઠ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.