નવસારી: આજરોજ જિલ્લામાં ધોધમાર વરસાદ તેમજ નદીઓમાં ઘોડાપુર ના કારણે તારાજી સર્જાઈ હતી. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ત્યારે ખેતીના પાકને પણ ભારે નુક્સાન થયું છે. જે નુકસાનીનો અંદાજ કાઢવા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લામાં પ્રથમ વખત ડ્રોન દ્વારા પણ સર્વે કરવામાં આવ્યો હતો. જ્યાં પૂરના પાણીને લઈ સર્વે માટે તકલીફ પડી રહી હતી. તેવા વિસ્તારોમાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ખેતીવાડી વિભાગનો સ્ટાફ પહોંચી શકે તેવી સ્થિતિ નહોતી તેવા વિસ્તારોમાં આધુનિક ડ્રોન કેમેરા નો ઉપયોગ કરીને નુક્સાનીનો તાગ મેળવાયો હતો. આજે સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે. જે કામ 10 દિવસે પણ પૂર્ણ થવું અશકય હતું. તે કામ ડ્રોનની મદદથી ફક્ત ત્રણ દિવસમાં જ પૂર્ણ થયું છે. હવે સમગ્ર અહેવાલ રાજ્ય સરકારને સોંપવામાં આવશે.
ખેડૂતોને વધુમાં વધુ બે હેકટર સુધી જ સહાય મળશે. સર્વેમાં સામે આવ્યું છે કે, નદી કિનારે થતાં કેળા, સુરણ અને શાકભાજીના પાકને વ્યાપક નુક્સાન થયું છે.

તો બીજી તરફ ડાંગર ના ધરું ને પણ વ્યાપકતા ની દ્રષ્ટિએ વધુ માનવતા માં આવી રહ્યો છે. ખેતપેદાશો ના નુકસાન સામે વળતરની વાત કરવામાં આવે તો બીન પિયતને પ્રતિ હેકટર 3800રૂપિયા અને પિયત ખેતીને 13,500 રૂપિયા વળતર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ખેડૂતોને વધુમાં વધુ બે હેકટર સુધી જ સહાય મળશે. જિલ્લામાં કુલ 3000હેકટર જમીનમાં નુક્સાન થયાનો અંદાજ સામે આવ્યો છે. કયાં કયાં નુકસાન થયું ? જિલ્લામાં ભારે વરસાદ દરમિયાન ખેતરો પાણીથી ભરાઈ રહેવાને કારણે તેમજ પાણીના ઝડપી વહેણને લઈ નદી – નાળાની આસપાસ આવેલા બાગાયતી પાકોને ઘણું નુકસાન થયું છે.

આ ઉપરાંત ગણદેવી, નવસારી અને જલાલપોર તાલુકાઓમાં પણ પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીના કાંઠા વિસ્તારના ગામોના જ ખેતરોમાં પાણી ભરાઇ રહેવાથી રીંગણ, પાતરા અને વેલાવાળા શાકભાજીના પાકોને નુકશાન થયું છે. આંબાના નાના ઝાડો પણ પાણીમાં ડુબી રહેવાથી ખેડૂતોને નુક્સાન થયું છે. કેટલાક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયા છે. ત્યારે એવા ખેતરોમાં ખેતીવાડી વિભાગના કર્મચારીઓ જઈ ન શકે તેવી પરિસ્થતિ હતી. જેથી તે વિસ્તારમાં ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આધુનિક ટેકનોલોજીની મદદ વડે આ સર્વે વહેલો પૂર્ણ થઈ શક્યો છે.

સર્વે માટે 22 ટીમો બનાવી કામગીરી હાથ ધરાઈ ખેડૂતોને. સરકારના ઠરાવ મુજબ નુકસાની ની સહાય મળી રહે તે માટે જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર ના માર્ગદર્શન મુજબ તાલુકાવાર નુકશાની આંકવા સર્વે માટે 22 ટીમો બનાવી 157 કર્મચારી અને અધિકારી દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. પ્રથમ વખત ડ્રોનનો પણ ઉપયોગ કરાયો છે. આ સિવાય પણ દરેક તાલુકાઓમાં નદીકાંઠે આવેલા ગામોમાં વર્તાઓછા પ્રમાણમાં નુક્સાન થયેલા હોય સર્વે ટીમો દ્વારા જિલ્લાના તમામ ગામોમાં ગામના સરપંચ અને અન્ય આગેવાનો સાથે ચર્ચા કરી નુકસાનની ચકાસણી કરી રિપોર્ટ કરવા દરેક સર્વે ટીમો ને જણાવ્યુ છે. હાલ જિલ્લામાં આશરે 3000 હેકટર જમીનમાં નુક્સાન નો આંક ગણતરી એ લીધો છે.