કપરાડા: દક્ષિણ ગુજરાતના છેવાડાના વલસાડ જિલ્લાના બહુલક આદિવાસી વિસ્તાર ધરાવતા કપરાડા તાલુકાની સરકારી હોસ્પિટલમાં નવા ડોક્ટર અને અપૂરતી સુવિધાને અભાવે સ્થાનિક લોકોને યોગ્ય સારવાર મળતી હોવાની લોકો બુમો પાડી રહ્યાનો કિસ્સો સામે આવ્યો છે.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા મથકે અને એક સુથારપાડામાં સરકારી હોસ્પિટલ આવેલી છે પરંતુ પુરતી સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાના કારણે સ્થાનિક લોકોને સારવાર માટે ધરમપુર વલસાડ કે મહારાષ્ટ્ર આજે પણ જવું પડે છે. ગુજરાત વિકાસ મોડલ કપરાડાની હોસ્પિટલ શોભના ગાંઠિયા સમાન હોવાનો હાલમાં કપરાડા તાલુકામાં એક વાયરલ મેસેજ ફરી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે કપરાડા તાલુકા ના ૧૨૮ ગામ આવેલા છે જેમાં સરેરાશ દરરોજના ડિલિવરી કેસ ૧૦ થી ૧૨ આવે છે CHC માં ગાયનેક ડોક્ટરના હોવાથી એમબીબીએસ ડોક્ટર આ ડિલિવરીદર્દી ઓને CHC માં રાખતા નથી અને એમને આ ભર ચોમાસે અને ખરાબ રસ્તાઓમાં હેરાન થતા થતા ધરમપુર જાઉં પડે છે. નોર્મલ દર્દીઓને પણ આ ડોક્ટરો દ્વારા ધરમપુર જ મોકલી દેવામાં આવે છે જેમાં બહુજ ડિલિવરી એમ્બ્યુલન્સમાં રસ્તામાં જ થાય છે…
જેના લીધે માતાને નવજાત બેબીને જોઈતી સારવાર તરત એમ્બ્યુલન્સમાં મળતી નથી … પણ આ ડોક્ટર લોગ સમજતા નથી આ નાદાન, ભોળી જનતાને હેરાન કરવામાં કોઈ કસર છોડતા નથી. આ આદિવાસી જનતા એમની મજબૂરી ખાતર આ ત્રાહિમામ સહ્યા કરે છે. વલસાડ જિલ્લામાં રાજ્ય સરકારના બે પ્રતિષ્ઠિત પદના મંત્રીશ્રીઓ છતાં એમના જ મતદાતા ઓને આરોગ્યની કોને પરવાહ..

