ધરમપુર: દર વર્ષેની જેમ ધરમપુર વાંસદા રસ્તા પર પડતા ખાડાથી આ વખતે હજુ પણ લોકો પરેશાન છે. તંત્ર દ્વારા દર વર્ષે વાયદા અપાય છે કે રસ્તાના સમારકામની કામગીરી પણ થઈ જશે. પણ સવાલ એ જ કે આખરે ભ્રષ્ટાચારના રસ્તા ક્યાં સુધી બનતા રહેશે ?
ઉલ્લેખનીય છે કે વારંવાર રસ્તાઓ પર પડતા ખાડાના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી સહન કરવી પડી રહી છે રસ્તા પર ખાડાઓના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે. ધરમપુરમાં ભારે વરસાદ બાદ રસ્તાની હાલત બદતર બની છે. ધરમપુરને જોડતા બધા જ રસ્તાઓ ચંદ્રની ધરતીમાં ફ્રેવાયા હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે મુસાફરોને કોઇ તકલીફ ન પડે તે માટે બિસ્માર રસ્તાનું સમારકામ સરખી રીતે કરવા ક્યારે સક્રિય થશે એ એક સવાલ છે.
દર વર્ષે ચોમાસું પડે ને કરવામાં આવતી બત્તર રસ્તાને સુધારવાની આ કામગીરીના પગલે સવાલ એ જ થઈ રહ્યો છે કે આખરે ધરમપુર અવરજવર કરતા રાહદારોને ખાડાથી ક્યારે મુક્તિ મળશે ?

