નર્મદા: ડાંગના આદિવાસી યુવાનોને જે રીતે અમદાવાદમાં પોલીસ દ્વારા ખોટા આક્ષેપો નાખીને માર મારવામાં આવ્યો હતો. એવી જ ઘટના TEA POST CAFE ગાય સર્કલ અકોટા વડોદરામાં કામ કરતા આદિવાસી યુવાનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ સાગરભાઇ ભીલ ઉમર ૧૭ વર્ષ જેવો ગામ વવિયારા તાલુકો ગરુડેશ્વર જિલ્લો નર્મદાના વતની છે તેમને TEA POST CAFE મેનેજર દ્વારા ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો હતો મેનેજર દ્વારા આદિવાસી સમાજને ગાળો આપવામાં આવી અને ગોત્રી પોલીસ સ્ટેશનમાં તારીખ ૧૬ જુલાઈના રોજ લોકઅપમાં પૂરીને માર મારવામાં આવ્યો હતો અને જાતિ સૂચક ગાળો દેવામાં આવી હતી સાગરભાઇને પોલીસ જવાનો દ્વારા જબરજસ્તી ગુનો કબુલ કરાવવા શારીરિક અને માનસિક યાતનાઓ આપવામાં આવી હતી. આદિવાસી સમાજના યુવાનો ક્યાં સુધી હજુ કારણ અને ગુના વગર માર ખાતા રેહશે..?

સાગરભાઇનું કહેવું છે કે એમને છાતી પર પગ મૂકીને ચામડાંના પટ્ટે પટ્ટે મારવામાં આવેલ ગરડા પાટુ માર મારવામાં આવેલ ત્યારબાદ એમના એમને છોડી દેવામાં આવેલ એમને આજે છાતીના ભાગમાં અને પેટના ભાગમાં અસહ્ય દુખાવો થતા ગરુડેશ્વર સરકારી દવાખાનામાં અર્થે લાવવામાં આવેલ, આદિવાસી સમાજ પર રોજને રોજ આ રીતના બનાવો બનતા રહેતા હોય છે જે આદિવાસી સમાજ માટે અત્યંત દુઃખની વાત છે આવા પોલીસ જવાનો પોલીસની છબી ખરાબ કરે છે માનવતા નેવે મુકીને આવા કૃત્યો કરે છે આવા પોલીસ જવાનો ઉપર એટ્રોસિટી એક્ટ હેઠળ પગલાં લેવામાં આવે