છોટાઉદેપુર: આદિવાસી એકતા પરિષદનું ૩૦મુ આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક એકતા મહાસંમેલન છોટાઉદેપુર જિલ્લામાં યોજાનાર છે તે જાહેરાત બાદ તેનાં આયોજનની પ્રથમ મિટિંગ કવાંટ ખાતે યોજાઈ જેમાં જિલ્લાના તથા વડોદરા જિલ્લાના સક્રીય કાર્યકરો ઉપસ્થિત રહી આયોજન માટે ની વિસ્તૃત ચર્ચાઓ કરી છોટાઉદેપુર જિલ્લામાં યોજાનાર આદિવાસી એકતા પરિષદનુ સાંસ્કૃતિક એકતા મહાસંમેલન સંપૂર્ણ રીતે સફળ બનાવવા માટે આગેવાનો દ્વારા આયોજિત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
Decision Newsને મળેલી માહિતી મુજબ વિજય ભાઈ એસ રાઠવા નાં અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં ગુજરાત ભાજપના યુવા ઉપપ્રમુખ મુકેશભાઈ રાઠવા, કવાંટ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ પિંટુભાઈ રાઠવા, પ્રો અર્જુનભાઇ રાઠવા , વાલસિંહભાઈ રાઠવા, ટીનાભાઇ ભીલ, મયંકસિંહ રાઠવા તેમજ વડોદરા ખાતે થી કરશનભાઈ રાઠવા, વસંતભાઈ રાઠવા, જશવંત રાઠવા,રાજુભાઈ રાઠવા ઉપરાંત સ્થાનિક કાર્યકરો ચંદ્રવદન રાઠવા, નરેન્દ્ર રાઠવા, હિમાંશુ રાઠવા, નારણભાઈ રાઠવા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
૩૦મુ સાંસ્કૃતિક એકતા મહાસંમેલન નું છોટાઉદેપુર જિલ્લામાં કઇ જગ્યાએ આયોજિત કરવામાં આવશે તે જગ્યા બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી, વિસ્તૃત ચર્ચા ઓ નાં અંતે કવાંટ નજીક ગોજારીયા પાસે નાં હમીરપુરા નું ફાઇનલ કરવામાં આવ્યું હતું અને આજથી જ તૈયારી ઓ માં લાગી જવા અને મહાસંમેલન ને સંપૂર્ણ રીતે સફળ બનાવવા માટે ની તમામે વાત કરી હતી.

