ચીખલી: “સેવા હી સંગઠન” અંતર્ગત નવસારી જિલ્લામાં ભારે વરસાદને લઈને સર્જાયેલી હોનારતને ધ્યાનમાં લેતા અસરગ્રસ્ત પરિવારો માટે ચીખલી તાલુકા ભાજપા દ્વારા અનાજ કીટનું આયોજન કરાવામાં આવ્યું. એ સંદર્ભે રાનકુવા તેમજ આજુબાજુના વિસ્તારના અસરગ્રસ્ત પરિવારોને અનાજ કીટ આપવામાં આવી.

Decision Newsને મળેલી માહિતી મુજબ આજરોજ નવસારી જિલ્લાના ચીખલીના રાનકુવા ગામ તેમજ આજુબાજુના વિસ્તારમાં અતિવૃષ્ટિના કારણે ભોગ બનેલા પરિવારોનો સર્વે કરી જરૂરિયાત મુજબ તાડપત્રી, કિચન કીટ અને હાઈજિન કીટ રેડક્રોસ નવસારી તેમજ સ્થાનિક આગેવાન મિત્રોના સહકારથી વિતરણ કરવામાં આવી હતી.

ચીખલી તાલુકા ભાજપ ઉપપ્રમુખ કનકસિંહ પરમાર, જિલ્લા પંચાયત આરોગ્ય અધ્યક્ષ પ્રકાશભાઈ તેમજ રાનકુવા સરપંચ શ્રી અરવિંદ ભાઈ સહિત સ્થાનિક આગેવાનો હાજર રહી આયોજન કર્યું.