ધરમપુર: આદિવાસી વિસ્તારોમાં ખાસ કરીને જે લોકોને અન્યાય થઇ રહ્યા હતા તે હવે આદિવાસી લોકો જાગૃત થયાના કારણે દિવસે દિવસે બહાર આવી રહ્યા છે ત્યારે ગતરોજ વસુધારા દૂધ ઉત્પાદક સંધ આલીપોર દ્વારા થતા અન્યાય સાથે ન્યાય મેળવવા માટે ધરમપુર પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Decision Newsને પ્રાપ્ત વિગતો અનુસાર મહિલા સંચાલિત દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. સિદુમ્બરના સભ્યોને ગાય લેવા માટે લોન માટે  આદિમ જૂથ યોજના અંતર્ગત TASP માં અરજી કરી હતી જે લોન પાસ થઇ ગઈ હતી પણ હાલમાં વસુધારા ડેરીએ અમારાં ખાતા બંધ છે એમ જણાવી અમારી લોન મંજુર કરી નથી. બહેનો સભ્યોનું કહેવું છે કે અમે ખેતી અને પશુપાલન કરીને અમારું કુટુંબનું ભરણપોષણ કરીએ છીએ ત્યારે જો વસુધારા દેરી આ રીતે લોન ન આપી અમારી સાથે અન્યાય કરશે તો અમારું જીવન મુશ્કેલીમાં મુકાઈ જશે.

આ અન્યાય માટે અમે ધરમપુર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી માંગણી કરીએ છીએ કે અમારો હક અમને મળે એવી અપીલ કરીએ છીએ જેથી અમે પશુપાલન કરી અમારું જીવન વ્યતીત કરી શકીએ..