વાંસદા: ગુજરાત હોય કે દેશ પણ સામાન્ય રીતે જોઈએ તો આદિવાસી સમાજનો ગૌરવપૂર્ણ વીરોનો વારસો ક્યાંક ક્યાંક વાંચવા કે સંભાળવા મળે છે ત્યારે આજે ૩૦ જૂન હૂલ દિવસ તરીકે ભારતભરમાં જાગૃત આદિવાસી લોકો ઉજવણી કરી રહ્યા છે.
સમાજના લોકો કહે છે કે હૂલ યુદ્ધ છે. વિદ્રોહ નથી. સભ્ય સમાજના લોકો આદિવાસી સમાજના આ યુદ્ધને વિદ્રોહ કહીને આદિવાસી શહીદોને અપમાનિત કરશો નહીં. ૧૮૫૫ ૩૦ જૂનના રોજ હૂલના આગળ પડતાં લડાકુ સિદુને હજારો લોકોની ઉપસ્થિતિમાં અંગ્રેજો શાસન વિરુદ્ધ યુદ્ધની ઘોષણા કરવામાં આવી હતી. એ સમયે ( બિહાર ,ઝારખંડ, બંગાળ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ ) ના આદિવાસી સમાજે યુધ્ધ ચાલુ રાખ્યું.
હજુ પણ કેટલીક હલકી માનસિકતા ધરાવતા લોકો લખે છે કે સંથાલ આદિવાસીઓનો વિદ્રોહ કહીને આદિવાસી સમાજના શહીદોના બલિદાનોને કલંકિત કરતા જોવા મળે છે

