પારડી: યુવાનોના બે રોજગારીના આ કાળમાં હિંમત હારી આપઘાત કર્યાની ઘટના દિવસે-દિવસે વધુ સામે આવી રહી છે ત્યારે વધુ એક પારડી તાલુકાના પરિયા ગામમાં રહેતા ઉમેશ ભીખુભાઇ હળપતિ નામના યુવાને બેરોજગારી કારણે આપઘાત કરી લીધાનું જાણવા મળી રહ્યું છે.
Decision Newsને સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પારડી તાલુકાના પરિયા ગામમાં રેહતા ઉમેશ ભીખુભાઇ હલપતિએ મંગળવારે સાંજે બેરોજગારી થી કંટાળીને પાર નદીમાં મોતની છલાંગ મારી આપઘાત કરી લીધો તેને બચાવવા નદી કિનારે જે લોકો હતા તેમણે પ્રયાસ પણ કર્યો હતો પણ તેઓ નિષ્ફળ નીવડયા હતા. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસે લાશનો કબ્જો લઇ વધુ તપાસ આગળ ધપાવી છે.
એવું જાણવા મળી રહ્યું છે ઉમેશ હળપતિ ધોરણ 8 મુ ભણેલો હતો તેથી તેને નોકરી મળવી અઘરી બની હતી. તેની 3 બહેનો છે. પિતા બેન્ડ આર્ટિસ્ટ છે. આમ બેરોજગારી અને વધતી જતી મોઘવારી હજુ કેટલાં યુવાનોના જીવ લેશે કહેવું મુશ્કેલ છે.

