રાજપીપલા: આ વર્ષે ૮ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે દેશભરના ૭૫ આઇકોનિક સ્થળોની પસંદગી કરવામાં આવી છે જેમાં ગુજરાતમાં પસંદ પામેલા ચાર આઇકોનિક સ્થળોમાં નર્મદા જિલ્લાના SOU-એકતાનગરનો પણ સમાવેશ કરાયો છે

સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઇ માંડવીયા, જીલ્લા પ્રભારી મંત્રીશ્રી પુર્ણેશભાઇ મોદી, કેન્દ્રીય આરોગ્ય વિભાગનાં સંયુકત સચિવશ્રી ડૉ. પી. અશોક બાબુ, વરિષ્ઠ સનદી અધિકારી સુ.શ્રી. શ્રી નેહા ગર્ગ,સંસદસભ્યશ્રીઓ સર્વ શ્રી મનસુખભાઇ વસાવા, શ્રીમતી ગીતાબેન રાઠવા,જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા,નર્મદા સુગર ફેકટરી ચેરમેન શ્રી ઘનશ્યામભાઇ પટેલ સહિતના જીલ્લાના વરીષ્ઠ પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પોતાના ઉદબોધનમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઇ માંડવીયાએ તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણ માટે યોગ સાથે જોડાવવા આહવાન કર્યુ હતુ, યોગ એ આપણા ઋષિ મુનિઓએ માત્ર ભારતને જ નહી પરંતુ સમગ્ર વિશ્વને આપેલ અમુલ્ય ભેટ છે, જેનાથી વસુધૈવ કુટુંમ્બક્મની ભાવના સિદ્ધ થાય છે.ભારતીય જીવનશૈલી,પરંપરા અને આદર્શો વિશ્વએ સ્વિકાર્યા છે,જેને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ યોગને વૈશ્વિક માન્યતા અપાવી છે, જગતના વિકસિત દેશ એવા અમેરીકામાં ૧૫ % લોકો નિયમિત યોગ કરે છે.યોગ એ સારા સ્વાસ્થયની ચાવી છે, શાકાહારની સ્વિકૃતી સમગ્ર વિશ્વમાં થઇ રહી છે.

વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં પૂર્વ મંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી, પૂર્વ સંસદીય સચિવશ્રી હર્ષદભાઇ વસાવા જીલ્લા કલેકટર શ્રી ડી.એ.શાહ,પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબે, કેવડીયા SRP ગૃપના સેનાપતી શ્રી એન્ડ્રુઝ મેકવાન,નાયબ વન સંરક્ષક સર્વશ્રી નિરજ કુમાર અને શ્રી અક્ષય જોષી સહિત જીલ્લાના વરીષ્ઠ પદાધિકારીશ્રીઓ,અધિકારીશ્રીઓ અને યોગસાધકો ઉપસ્થિત રહીને યોગસાધનામાં જોડાયા હતા.