ધરમપુર: માણસ આજે માનવતા ભૂલી હિંસક બન્યો હોય એવા સમાજમાંથી દાખલાઓ સામે આવવા લાગ્યા છે ત્યારે આજે ધરમપુરના પીપલપાડા ગામના ઉપલા ફળીયામાં 47 વર્ષીય જમનીબેનનું તેના જ પતિ રામચંદ જાનુભાઈ પાડવી દ્વારા હત્યા કાર્યની ઘટના પ્રકાશમાં આવી છે.

જમનીબેનની દીકરીનું ફરિયાદમાં કહેવું છે કે મારી માતા અને પિતા ઘણી વાર મારઝૂડ થતી રેહતી હતી જ્યારે મારઝૂડ થાય ત્યારે માતા મારા ઘરે આવી પિતા વિષે ફરિયાદ કરતી કે તારા પિતા મને ગમે ત્યારે મારે છે. એમ કહી અમુક વખતે મારા ઘરે રોકાઈ જતી પણ પછી હું સમજાવી માતાને પરત પીપલપાડા ઘરે મોકલી આપતી હતી. પણ મંગળવારે સવારે મારા પતિના ફોન ઉપર તારા પિતાજી બોલું છે એમ કહી રાત્રિના સમયે મેં તારી માતાને શરીરે માથામાં માર માર્યો છે અને ઘરે જઈ તારી માતાને જોઈ આવજે હું હનમતમાળ ખાતર લેવા ગયો છું એમ જણાવ્યું હતું.

શું થયું હશે એ જાણવા હું મારા સાસુ તથા દિયર સાથે બાઇક ઉપર પિયર પીપલપાડા પિતાના ઘરે આવી હતી. જ્યા ઘરમાં ઓશરીના ભાગે જમનીબેન લોહી લુહાણ હાલતમાં મોતને ભેટેલી હતી. આ બાબતે તેણીએ બહાર કામ કરતા બંને ભાઈઓને જાણ કરતા તેઓ ઘરે આવ્યા હતા. આ અંગે નિર્મળાબેન ઠાકરેએ ધરમપુર પોલીસ મથકે ફરીયાદ આપી છે.