વાંસદા: ગતરોજ નવસારીના જિલ્લાના વાંસદા તાલુકાના સરા ગામમાં સ્થાનિક યુવાનોને પોતાનું કેરિયર બનાવવામાં સુવિધા મળી રહે એવા શુભ ઉદ્દેશ સાથે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ કિરણ પાડવીની અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
Decision Newsને મળેલી માહિતી મુજબ વાંસદા તાલુકાના સરા ગામમાં સ્થાનિક યુવાનોને પોતાનું કેરિયર બનાવવામાં સુવિધા મળી રહે એવા શુભ ઉદ્દેશ સાથે કિરણ પાડવીની અધ્યક્ષ સ્થાને લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામ અને તેની આસપાસના ગામોમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનોને દાતાશ્રીઓ તરફથી મળેલાં પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પોતાના ધ્યેય મેળવવા માટે થનગનાટ અનુભવતા યુવાનોને પોતાના પ્રોત્સાહિત કરી જરૂરી સલાહ સૂચનો પણ કરવામાં આવ્યા જેથી તેઓ સરળતાથી પોતાના માર્ગમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરી શકે.

