ખેરગામ: આજરોજ ખેરગામ તાલુકામાં આવેલ દશેરા ટેકરી, ખેરગામ ખાતે પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા 44 વીર જવાનોની તૃતીય પુણ્યતિથિ નિમિતે પેરામિલિટરી ફોર્સના નિવૃત જવાનો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ હતો
ડૉ નિરવભાઈ પટેલ નું કહેવું હતું કે હું માનું છું કે જ્યાં સુધી હુમલો કરનારા ચોર, નીચ, લુટારાઓને ફાંસીની સજા થાઈ ત્યારે જ જવાનો અને એમના પરિવારનેને સાચી શ્રદ્ધાંજલિ આપી કહેવાશે. આ ઉપરાંત આજના Valentine dayને ઉજવવાવાળું યુવાધન આ શહીદોને પણ યાદ કરે એવી અંતરમનની અભ્યર્થના છે. શ્રદ્ધાંજલિ…જુઓ વિડીયોમાં…
આ પ્રસંગે ચિંતુંબાનો છાંયડો હોસ્પિટલ ખેરગામના સંચાલક ડૉ.નિરવ ભાઈ, ડૉ. દિવ્યાંગીબેન, નવસારી જિલ્લા પ્રમુખશ્રી ભીખુભાઇ, ધરમપુરના યુવા આગેવાન કલ્પેશભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ, આશિષભાઇ, પત્રકાર આશીફભાઈ, દિપકભાઈ, આર્મી મુકેશભાઈ, જયેશભાઇ, યુવાપ્રમુખ ચેતનભાઈ, રાકેશભાઈ, અઝીઝભાઈ, સાજીદભાઇ, સરપંચ રાજેશભાઈ, પ્રશાંતભાઈ, કાર્તિક, અમારો છાંયડો પરિવાર તથા ઘેજ ગામના મારાં મિત્ર રાકેશભાઈ, વાડ ગામ પ્રિન્ટેશ ભાઈ અને સરપંચસશ્રીઓ તાલુકા સભ્યો, યુવાનો, બહેનો અને વડીલો મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા.

