વલસાડ: વલસાડ રાજ્ય ગુજરાત બામસેફ તથા ભારતીય મૂળનિવાસી સંઘ તથા ભારતીય મૂળનિવાસી સાંસ્કૃતિક મંચ SC, ST, OBC અને માઈનોરિટી 85% મૂળનિવાસી સમાજના ખેરગામ પીઠા પટેલ ફળીયા સાંજે 7:30 કલાકે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
Decision Newsને મળેલી માહિતી મુજબ શિક્ષણ, બેરોજગારી, મોંઘવારી, ગરીબી, ખાનગીકરણ, EVM મશીન, પાર તાપી લિંક પ્રોજેકટ તથા, દિલ્હી થી મુંબઇ ઔદ્યોગિક કોરિડોર હાઇવે શુ છે. જેવા વિષયો પર (1)હિરેનભાઈ પટેલ સામાજિક કાર્યકર્તા (2) વિષ્ણુભાઈ પટેલ સામાજિક કાર્યકર્તા (3) ધરમપુર તાલુકા પંચાયત અપક્ષ સભ્ય કલ્પેશભાઈ પટેલ (4) વિજયભાઈ ચૌહાણ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભારતીય મૂળનિવાસી સંઘ (5) આર આર પટેલ રાષ્ટ્રીય અધ્યક્ષ બામસેફ (6) રાકેશભાઈ ઘેજ સામાજિક કાર્યકર્તા એમના સાથી મિત્રો સમાજ જાગૃત કરવા માટે વિવિધ પ્રકારની માહિતી આપી હતી આદિવાસી સમાજને જન જાગૃતિ ની મિટિંગ યોજાઈ હતી.
વલસાડ રાજ્ય ગુજરાત બામસેફ તથા ભારતીય મૂળનિવાસી સંઘ તથા ભારતીય મૂળનિવાસી સાંસ્કૃતિક મંચ દ્વારા આવી બેઠકો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં જનજાગૃતિના કાર્યક્રમો યોજાવવા એ સમયનું માંગ છે.

