ગણદેવી: નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ખારેલ પાસે નેશનલ હાઈવે નંબર 48 પર કારમાં આગ ફાટી નીકળી, મુસાફરો કારમાંથી બહાર આવી જતાં જાનહાનિ ટળી. સુરતથી મુંબઈ રોડ પર જઈ રહેલી વરના કારમાં અચાનક આગ લાગી.

Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે નવસારી જિલ્લાના ગણદેવીના ખારેલ પાસેથી પસાર થતાં નેશનલ હાઈવે નંબર- 48 પર એક સીએનજી કારમાં આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી. સદનસીબે આગ લાગ્યા સમયે કારમાં કોઈ વ્યક્તિ સવાર ના હોવાથી જાનહાનિ થતાં અટકી હતી. ગણદેવીના ખારેલ પાસેથી પસાર થતાં નેશનલ હાઈવે પર કારમાં એકાએક આગ લાગતાં કારમાં સવાર લોકો તાત્કાલિક બહાર આવતા તેમનો આબાદ બચાવ થયો હતો.

સુરતથી મુંબઈ રોડ પર જઈ રહેલી વરના કારમાં એકાએક બોનેટ પાસેથી શરૂ થયેલી આગ પાછળ વધી હતી. જેથી તેમાં સવાર મુસાફરો ત્વરિત બહાર આવ્યા હતા. જ્યારે આજુબાજુમાં પસાર થયેલી કાર ચાલકોમાં પણ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જેને લઈ એક રૂટ બંધ કરી દેવામાં આવ્યો હતો.