પવિત્ર પર્વ રક્ષાબંધન નિમિત્તે બહેનોએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નિવાસસ્થાને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાખડી બાંધી હતી. આ અવસરે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતની સેવા માટે બહેનોના આશિર્વાદ પ્રાપ્ત થતાં હું ધન્યતા અનુભવું છું.

મુખ્યમંત્રીએ આ પર્વની પૂર્વભૂમિકા આપતા કહ્યું કે, ભાઈ-બહેનના પવિત્ર સંબંધના આ પર્વ એ બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી તેની રક્ષા અને પ્રગતિની કામના કરે છે.

શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેના નેતૃત્વમાં મોટી સંખ્યામાં બહેનો મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાખડી બાંધવા પહોંચી હતી. આ પ્રસંગે સીએમ રૂપાણીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના શાસનકાળમાં ભારતીય તહેવારોની જન સહયોગથી ઉજવણીની પરંપરાનો શુભારંભ કર્યો હતો, જે આજે પણ જારી છે.