અંભેટી: તાજેતરમાં જ આઝાદી કા અમૃત મહોત્સ ઉજવણીનું આયોજન 13 ઓગસ્ટના રોજ ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા પુરસ્કૃત જન શિક્ષણ સંસ્થાન વલસાડ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં  વિદ્યાર્થીઓ અને શિક્ષકો ખુબ જ ઉત્સાહ સાથે જોડાયા હતા.

Decision Newsને મળેલી માહિતી મુજબ ફીટ ઇન્ડિયા ફિડમ રન 2.0 માં જન શિક્ષણ સંસ્થાન વલસાડનો સ્ટાફ, તાલીમાર્થી, મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા હતા. તેમજ જન ભાગીદારી સે જન આંદોલન થીમ પર જન શિક્ષણ સંસ્થાન વલસાડ દ્વારા વિવિધ સ્થળોએ જુદા-જુદા પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું

જન શિક્ષણ સંસ્થાન વલસાડના નિયામક પ્રદીપ સોનારે Decision News સાથે વાત કરતાં જણાવ્યું છે કે આ આઝાદી કા અમૃત મહોત્સની કાર્યક્રમની ઉજવણીમાં ઉત્સાહ પૂર્વક ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવવા બદલ લીધેલા સૌનો સહુને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. આવા કાર્યક્રમ સંસ્થાનમાં આવનારા સમયમાં હજુ થતાં રહશે.