વાંસદા: આજે નવસારી જિલ્લામાં અને તાલુકા સ્તરે રાજકીય પાર્ટીઓ અને સામાજિક સંગઠનો અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં આદિવાસી સમાજના લોકો 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવા ખુબ જ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. ત્યારે વાંસદા ખાતે પણ વાંસદા તાલુકાના સમસ્ત આસીવાસી સમાજના લોકો ભેગા થઇ વાંસદાના કુંકણા સમાજ હોલ ખાતે વિશ્વ આદિવાસી દિન ઉજવવામાં આવી રહ્યો છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ નવસારીના વાંસદા તાલુકામાં આવેલા કુંકણા સમાજ હોલ ખાતે વિશ્વ આદિવાસી દિવસ પ્રસંગે આદિવાસી સાંસ્કૃત્તિક કલામંડળો પરંપરાગત આદિવાસી નૃત્યો અને વાદ્યોની સંગીતમય સૂરાવલીઓ સાથે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવશે અને ત્યાર બાદ સમાજના આગેવાનો દ્વારા સમાજના ઉત્થાન માટેના વિચારો આદિવાસી લોકો વચ્ચે વહેતા મુકવામાં આવશે.

આજના પ્રસંગે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા પારંપરિક વેશભૂષા નૃત્ય સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન અને શિક્ષણ, કલા અને રમતગમત ક્ષેત્રની આદિજાતી પ્રતિભાઓ, પ્રગતિશીલ ખેડુતો, પશુપાલકો, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રમાં વિશિષ્ઠ પ્રદાન આપનાર નાગરિકોની વાતો કરી સમાજને વિકાસની દિશામાં લઇ જવા આદિવાસી યુવાનો સંકલ્પ કરશે.