ચીખલી: હાલમાં વિસ્તારમાં બ્રોઇલર્સ પોલ્ટ્રી ફાર્મ મોટા પ્રમાણમાં જોવા મળતા હોય છે બ્રોઇલરના ઉત્પાદન માટે ઘણી ખાનગી કંપનીઓ ખેડુતો સાથે મળીને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતી જોવા મળે છે પણ આ બ્રોઇલર્સ પોલ્ટ્રી ફાર્મમાં જ્યારે બ્રોઇલર મરઘાં રોગીષ્ટ બને છે ત્યારે બ્રોઇલર્સ પોલ્ટ્રી ફાર્મવાળા એ રોગીષ્ટ મરઘાંને આસપાસના સુમસામ એરિયા જોઈ ફેકી આવતાં હોય છે અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હોય છે આવો જ એક કિસ્સો ચીખલીના વાંઝણા ગામમાંથી સામે આવ્યો છે
Decision Newsને મળેલી માહિતી પ્રમાણે ચીખલી તાલુકાની સગુણા ફૂડ કંપની દ્વારા આ રોગીષ્ટ મરઘાં કાંગવાઈ દલીયા ફ. ઈસુબભાઈ બ્રોઇલર્સ પોલ્ટ્રી ફાર્મ આપવામાં આવ્યા હતા. આ રોગીષ્ટ મરઘાં મારી જતા ઈસુબભાઈ બ્રોઇલર્સ પોલ્ટ્રી ફાર્મ દ્વારા GJ-21-Y-0694 નંબરની પી-કપ ભરી વાંઝણા ગામના છાબડી કેનાલ પર ફેકી દેવામાં આવ્યા છે આ કારણે આસપાસના વિસ્તારમાં ગંદકીનો માહોલ સર્જાયો છે આ પ્રકારે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા માટે સામેથી બર્ડફ્લુ નોતરું આપતી બેજવાબદાર સગુણા ફૂડ કંપની બ્રોઇલર્સ પોલ્ટ્રી ફાર્મ વિરુદ્ધ કડક પગલાં સ્થાનિક વહીવટીતંત્ર લેવા જોઈએ એવી માંગ સ્થાનિક લોકો કરી રહ્યા છે.
આ લોક આરોગ્ય સાથે ખિલવાડ કરતી અપરાધિક ઘટના વિષે ગામના સરપંચશ્રી નલિનભાઈ અને ચિખલી તાલુકા પંચાયત સભ્ય નરેન્દ્રભાઇએ સગુણા ફૂડને જાણ કરવામાં આવી છે. લોકોનું કહેવું છે કે આ કાંગવાઈ દલીયા ફ. ઈસુબ ભાઈ બ્રોઇલર્સ પોલ્ટ્રી ફાર્મ અને સગુણા ફૂડ કંપની વિરુદ્ધ લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરવા માટે પોલીસ કેસ કરવામાં આવે અને કડક પગલાં લઇ એને સબક શીખવવામાં આવે. હવે આ બાબતે વહીવટીતંત્ર કયા પગલાં લેશે એ જોવું રહ્યું.

