ગણદેવી: વર્તમાન સમયના કોરોનાના કપરા કાળમાં બધા જ લોકોનું ધ્યાન આ મહામારીથી બચવામાં છે આવા દુઃખદ ઘડીએ પણ અમુક સરકારી બાબુઓ ભ્રષ્ટાચાર કરી પોતાનો ફાયદો પડાવી લેવાના ફિરાકમાં હોય એવો કિસ્સો ગતરોજ ગણદેવીના ખાપરાવાડા ગામમાં પ્રકાશમાં આવ્યો છે.
Decision News સાથે વાત કરતા ખાપરાવાડા ગ્રામ પંચાયત સભ્ય આ સમગ્ર ઘટના વિષે જણાવે છે કે ખાપરાવાડા ગામના નવી નગરી તથા રાવણ ફળિયામાંથી ખાડી પસાર થાય છે આ ખાડી વર્ષોથી પુરાય ગયેલી હાલતમાં છે જેના કારણે ચોમાસામાં આ ખાડીમાં ઉપરવાસના ગામો વાઘલધરા,ઓલગામ, વાસણ અને રેલ્વે ટ્રેકનું પાણી સીધું ખાડીમાં આવતું હોવાથી નવી નગરીના ૧૨ જેટલા કુટુંબો તથા રાવણ ફળિયાના ૩૦ જેટલા કુટુંબોના ૨૫૦ લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ પુરના કારણે ગામના એક યુવાનનું આ ખાડીમાં પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. ગામની ખાડીને ઊંડી કરવાની આ વર્ષો જૂની સમસ્યા વિષે ખાપરવાડા ગ્રામપંચાયતે સિંચાઈ વિભાગ ગણદેવીને ખાડી વારવાર રજુવાત કરી હતી પણ આ બાબતે ધ્યાનમાં આવ્યું ન હતું પરંતુ આ વખતે સિંચાઈ વિભાગ ગણદેવી દ્વારા ખાડીને ઊંડી કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું
મીતેશભાઇનું કહેવું છે કે આ આદિવાસી વિસ્તારની કામગીરી સિંચાઈ વિભાગ ગણદેવી આધિકારી ખુશ્બુબેન દેસાઈને સોપવામાં આવી હતી. ગામલોકોનો આરોપ છે કે ખુશ્બુબેને પોતાની માનીતી એન્જેસી વિરલ પાંચાલને આ ગામની ખાડી ઊંડી કરવાનું કામ સોંપ્યું હતું. કામગીરી છેલ્લા ત્રણથી ચાલુ હતી. ત્યારે ખાપરવાડા ગ્રામ પંચાયતે જરૂરિયાત મુજબની ગુણવત્તાવાળી થઇ રહી છે કે નઈ તે તપાસવા એજન્સી પર કામનું એસ્ટીમેન્ટ માંગવામાં આવ્યું પરંતુ એજન્સી અમારા પર નથી એમ જવાબ આપ્યો.
આ બાબતે અધિકારી ખુશ્બુબેન દેસાઈ પર પ્લાન્ટ એસ્ટીમેન્ટ માંગતા નવસારી દેશમુખ સાહેબ પાસે છે તેઓ જવાબ મળ્યો ત્યાર પછી પંચાયતના સભ્ય મિતેશ આહિરે નવસારીના મુખ્ય દેશમુખ સાહેબે આ બાબતે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેઓ સ્થળ પરથી જતા રહ્યા હતા. આ ઘટના બાદ પંચાયત સભ્ય અને ગામ લોકોને આ બંને અધિકારીઓ કામગીરીમાં ભ્રષ્ટાચારનો કર્યાની ગંધ આવી રહી છે. આ સમગ્ર ઘટના અંગે ગણદેવીના મામલતદાર સાહેબને અરજી લખી જાણ કરવામાં આવી છે. હવે આવનારો સમય જ બતાવશે કે આ બાબતે ગણદેવી સિંચાઈ વિભાગ અને નવસારીની જિલ્લાતંત્ર શું પગલાં ભરશે. પંચાયત સભ્યો ગામ લોકોનું કહેવું છે કે આ મુદ્દે જલ્દી કોઈ નિર્ણય ન લેવામાં આવે તો અહિંસક આંદોલન કરવામાં આવશે.

